Tuesday, 11 February 2020

GUJ CM Shri Vijaybhai Rupani Honours Ninety-Plus Senior Citizens At Ahmedabad


અમદાવાદમાં વયવંદના સમારોહમાં ઉદબોધન કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડીલો યુવા પેઢી માટે દીવાદાંડી સમાન છે. વડીલો ઉંમરનો તકાજો અને અનુભવનો ખજાનો ધરાવે છે. જ્યાં મોભીઓ બેઠા હોય ત્યાં સમાજમાં સંસ્કાર, લાગણી અને ભાવનાનું સિંચન થતું રહે છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આપણે વ્યક્તિથી સમષ્ટિના કલ્યાણનો વિચાર કરનારા છીએ. કુટુંબ વ્યવસ્થામાં વડીલ સર્વોપરી હોય છે. વડીલો માટે આદરનો ભાવ આપણે સૌ કોઈમાં સહજ છે.

ધર્મ, અર્થ, કામ, મોક્ષ અને ચાર વર્ણાશ્રમનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીશ્રીએ કહયું કે, સંન્યાસ આશ્રમ એ માત્ર ભૌતિક ત્યાગ નહીં પરંતુ મનથી – વિચારોથી ત્યાગની વિભાવના શીખવે છે. સંન્યસ્તાશ્રમમાં રાગ-દ્વેષ સહિતના વિકારોનો ત્યાગ પણ નિહિત છે. અહમ-મમત્વના ભાવથી ઉપર ઉઠીને સમ્યકભાવ કેળવી મોહ-માયા છોડવી એ જ સાચો સંન્યસ્તાશ્રમ છે એમ ભારતીય વૈદિક પરંપરા શીખવે છે.

Related Posts:

  • GUJ Cm Shri Vijaybhai Rupani Commenced 5th Edition of State-Wide Sevasetu Program at Antela of Dahod District મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યવ્યાપી ‘સેવા સેતુ’ કાર્યક્રમનો વનબંધુ વિસ્તાર દાહોદના ગ્રામીણ ક્ષેત્ર અંતેલાથી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, સેવા સેતુનો આ ઉપક્રમ સામાન્ય-નાના માણસ માટે મોટો કાર્યક્રમ બની ગ… Read More
  • GUJ CM Shri Vijaybhai Rupani Inaugurated Himalaya Cancer Hospital at Vadal, Junagadh મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય સરકારના સંવેદના સ્પર્શી જનઆરોગ્યના નિર્ણયોની ફળશ્રુતિ જણાવતા કહ્યુ કે, ભારત આયુષ્માન પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અને મા અમૃતમ્-વાત્સલ્ય યોજનાને સંયોજિત કરી રાજ્યના ૭૦ લાખ પરિવાર… Read More
  • GUJ CM Shri Vijaybhai Rupani Inaugurated New State Management Center at Gandhinagar મહિલા અને બાળ વિકાસની વિવિધ યોજનાઓ, સેવાઓ, અન્ય કામગીરી તેમજ પ્રગતિ ઉપર દેખરેખ રાખવાના હેતુથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે મહિલા અને બાળ વિકાસ કમિશનરની કચેરી, બ્લોક-૨૦, ડૉ. જીવરાજ મહેતા, ગાંધીનગર ખાતે ‘સ્ટેટ મ… Read More
  • GUJ CM Shri Vijaybhai Rupani Dedicated various Development at Rajkot રાજકોટ ખાતે વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું હતું. સામાન્ય નાગરિક માટે ‘‘ઘરનું ઘર’’ એ જીવનનો હાશકારો છે. આજે આવાસ મેળવનારા બડભાગી લાભાર્થીઓના જીવનમાં આજનો દિવસ સીમાચિન્હ પુરવાર થશે. ગુજરાતીમાં વધુ … Read More
  • GUJ CM Shri Vijaybhai Rupani released Dipotsavi issue published by Information Dept. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત ૨૦૭પનું આજે વિમોચન કરતાં જણાવ્યું હતું કે, અજ્ઞાન અને દૂરાચારના અંધકારને જ્ઞાન અને સદાચારની, દીપજ્યોતથી પ્રકાશિત કરવાનો તહેવાર એટલે દીપોત્સવ. ઉત્સવો અને … Read More

0 comments:

Post a Comment