Monday, 1 November 2021

CM dedicates 560 quarters of Veer Bhagat Singh Nagar


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજ્ય સરકારના કર્મયોગીઓ માટે રૂ. ૧૪૯.૮૦ કરોડના ખર્ચે નવનિર્મિત પ૬૦ બહુમાળી આવાસોનું લોકાર્પણ દિપાવલીના પર્વ પ્રારંભે કરીને કર્મયોગીઓને રાજ્ય સરકાર તરફથી દિપાવલી ભેટ અર્પણ કરી હતી.

રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા નિર્માણ પામેલા ‘બી’ ટાઇપના ર૮૦ અને ‘સી’ ટાઇપના ર૮૦ આવાસોની આ વસાહતના લોકાર્પણ અવસરે માર્ગ મકાન મંત્રી શ્રી પૂર્ણેશ મોદી, સાંસદ શ્રી નરહરિ અમીન, ગાંધીનગરના નવનિયુકત મેયર શ્રી હિતેશ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન શ્રી જશવંતભાઇ પટેલ, સચિવ શ્રી સંદીપ વસાવા, મુખ્ય ઇજનેર શ્રી પટેલિયા અને નગરસેવકો, અગ્રણીઓ, શહેર પ્રમુખ શ્રી રૂચિરભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતીમાં વધુ વાંચો: કર્મયોગીઓને દિપાવલી પર્વે પ૬૦ સરકારી આવાસોની ભેટ

 

Related Posts:

  • CM approved ‘Letter Of Intent’ for Developing World’s First CNG Terminal at Bhavnagar મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભાવનગર ખાતે વિશ્વના સૌ પ્રથમ સી.એન.જી ટર્મિનલ પોર્ટ વિકસાવવા માટેના લેટર ઓફ ઇન્ટેન્ટને મંજૂરી આપતા હવે, આ પોર્ટના વિકાસની કામગીરીનો પ્રારંભ થશે.ભાવનગર ખાતે આ CNG ટર્મિનલના નિર્માણથી ગુજરાત વિ… Read More
  • Chief Minister e-dedicate 200-Bed COVID Hospital, Radio Therapy Centre at Rajkot મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટના કોવીડ અને કેન્સરના દર્દીઓના  લાભાર્થે આરોગ્ય સેવા લક્ષી ચાર પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ કરી કોરોનાની વૈશ્વિક મહામારીમાં ગુજરાતના નાગરિકોને મેડીકલક્ષેત્રે નવા આવિષ્કારો અ… Read More
  • CM e-launched ‘Saat Pagla Khedut Kalyanna Yojana’ for Holistic Development of Agriculture Sector and Farmersમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટેની પ્રતિબદ્ધતા સાથે ‘સાત પગલાં કૃષિ કલ્યાણ’ના યોજનાનો ઇ શુભારંભ કરાવતાં સ્પષ્ટ નિર્ધાર વ્યકત કર્યો કે આ સાત પગલાંના પાયાથી સર્વગ્રાહી વિકાસની હરણફાળ ભરવી છે… Read More
  • CM e-launched Gujarat Dyestuff Manufacturing Association’s Directory - Web Portal Mobile Application મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં પર્યાવરણની જાળવણી સાથે સાતત્યપૂર્ણ ઔદ્યોગિક વિકાસ માટે ઇન્ડસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ અને ઇન્ફ્રાસ્ટ્રકચર સુદૃઢ કરવાને પ્રાધાન્ય આપ્યું હોવાનો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે.આ સંદર્ભમાં તેમણે કહ્… Read More
  • CM allocated total Rs. 160-cr to 155 Nagarpalikas for Repairing of Urban roads damaged during monsoon મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની ૧પપ નગરપાલિકાઓમાં શહેરી જનસુખાકારી-સુવિધાનો મહત્વપૂર્ણ નિર્ણય કરતાં આ નગરપાલિકાઓમાં રસ્તા-માર્ગોના રિપેરીંગ-રિસરફેસીંગ માટે રૂ. ૧૬૦ કરોડ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે ફાળવ્યા છે.… Read More

0 comments:

Post a Comment