Monday, 14 October 2019


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં ગુજરાત સરકારના ઊદ્યોગ વિભાગ અને જાપાનની AEPPL ઓટોમોટીવ ઇલેકટ્રોનિકસ પાવર પ્રાયવેટ લિમીટેડ વચ્ચે કુલ રૂ. ૪૯૩૦ કરોડના રોકાણથી લિથિયમ બેટરી ઉત્પાદન વિસ્તરણ પ્લાન્ટસ MoU સંપન્ન કરવામાં આવ્યા હતા.

આ MoU પર AEPPLના મેનેજીંગ ડિરેકટર શ્રીયુત ઇસીઝો આયોઆમા- ICHIZO AOYAMA અને ગુજરાત સરકાર ઊદ્યોગ અગ્ર સચિવ તથા મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ વચ્ચે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં હસ્તાક્ષર થયા હતા.

AEPPL દ્વારા ગુજરાતના હાંસલપૂર બેચરાજીમાં બે તબક્કે આ અંગેના રોકાણો કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં રૂ. ૧રપ૦ કરોડના ખર્ચે લિથિયમ બેટરી પેક અને મોડયુલ મેન્યૂફેકચરીંગ ફેસેલીટીઝ ર૦ર૦ના અંત સુધીમાં ઊભી કરવા સાથે ૧ હજાર જેટલા સ્થાનિક યુવાઓને પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારી મળતી થશે.

Related Posts:

  • Gujarat achievement in doses of Corona Vaccine મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના દિશાદર્શનમાં ગુજરાતે કોરોના રસીકરણ અભિયાનમાં અપૂર્વ સિદ્ધિ મેળવી છે. તા. ૧૨ જુન શનિવારે સાંજે ૪ વાગ્યા સુધીમાં રાજ્યમાં કોરોના રસીના ૨ કરોડ ડોઝ  લોકોને આપવામાં આવ્યા છે. ૨ કરોડ રસીના આ … Read More
  • Mukhya Mantri Kisan Sahay Yojana to provide Aid to Farmers Gujarat Chief Minister Mr. Vijay Rupani has approved ‘Mukhya Mantri Kisan Sahay Yojana’ for the year 2021 to help millions of farmers in the state against crop losses due to natural calamities during Kharif season. This sche… Read More
  • E Nirman Portal Mobile App launches મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની વિકાસ યાત્રાના પાયામાં રહેલા શ્રમિકો ખાસ કરીને અસંગઠિત ક્ષેત્ર- અન ઓર્ગેનાઇઝડ સેકટરના શ્રમિકોના કલ્યાણ માટે આધાર લીંન્કડ યુ-વીન સ્માર્ટ કાર્ડ અંતર્ગત આવા ૧૦ લાખ શ્રમિકોની નોંધણી કરી વ… Read More
  • Hi-Tech Command and Control 2.0 inauguratesમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના છેવાડાના ગામના વર્ગખંડના બાળક સુધીના વિદ્યાર્થીઓના અભ્યાસ, હાજરી, પરીક્ષા અને શિક્ષણ વ્યવસ્થાના રિયલ ટાઇમ મોનિટરીંગની ગુજરાતની અભિનવ પહેલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-2.0નું ગાંધીનગરમાં … Read More
  • One Year Exemption in Property Taxમુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં આવેલ હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમાંથી અને વીજબીલના ફિક્સચાર્જમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.તદઅનુસાર, તારીખ ૧ એપ્રિલ ૨૦૨૧ થી ૩૧ મ… Read More

0 comments:

Post a Comment