Friday, 28 October 2022

Assistance package to the Farmers

Kharif season of 2022, મુખ્યમંત્રીશ્રીનો કિસાન હિતકારી નિર્ણય, માતબર સહાય પેકેજ જાહેર

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૮ લાખથી વધુ ખેડૂત ખાતેદારોના વ્યાપક હિતમાં કિસાન હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરીને રૂ. ૬૩૦.૩૪ કરોડનું માતબર સહાય પેકેજ જાહેર કર્યુ છે
રાજ્યમાં ર૦રર ની ખરીફ રૂતુમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકશાનમાં સહાયરૂપ થવાના ઉદાત્ત અભિગમથી આ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.
આ વર્ષે ભારે વરસાદને કારણે ૧૪ જિલ્લામાં ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખેતી પાકોને વ્યાપક નુકશાન થયું હતું.

છોટાઉદેપૂર, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, કચ્છ, જૂનાગઢ, મોરબી, પોરબંદર, આણંદ, ખેડા જિલ્લાઓના કુલ પ૦ તાલુકાઓના રપપ૪ ગામોમાં પાક નુકશાની અંગેના અહેવાલો સંબંધિત જિલ્લા તંત્ર મારફતે રાજ્ય સરકારને મળ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અહેવાલોના સર્વગ્રાહી આકલન અને ખેડૂતો, ખેડૂત સંગઠનોની તથા પ્રજા પ્રતિનિધિઓની રજુઆતો સંદર્ભે સંવેદનાપૂર્ણ અભિગમ અપનાવીને આ ૬૩૦.૩૪ કરોડ રૂપિયાના માતબર સહાય પેકેજની ઘોષણા કરી છે.

ગુજરાતીમાં વધુ વાંચો: મુખ્યમંત્રીશ્રીનો કિસાન હિતકારી નિર્ણય

 

IT-ITes Policy-2022-27

Gujarat IT/ITes Policy 2022-27, digital innovation, Digital India Mission, Department of Science Technology, Government of Gujarat, IT-ITes પોલિસી-ર૦રર-ર૭

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ડિઝીટલ ઇનોવેશનને વેગ આપવા જાહેર કરવામાં આવેલી ગુજરાત IT/ITes પોલિસી ર૦રર-ર૭ને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ડિઝીટલ ઇન્ડીયા મિશન અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવામાં ગુજરાતની આ પોલિસી ઉપયુકત બની છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતીમાં રૂ. ૧૦૦૦ કરોડથી વધુના રોકાણ સાથે રાજ્યનું પ્રથમ સબમરીન કેબલ લેન્ડીંગ સ્ટેશન તથા ડેટા સેન્ટર નિર્માણ માટેના MoU ગુજરાત સરકાર અને લાઇટ સ્ટોર્મ વચ્ચે સંપન્ન થયા છે.

ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી વિભાગના સચિવ શ્રી વિજય નહેરા અને લાઇટ સ્ટોર્મના CEO શ્રી અમાજીત ગુપ્તા એ આ MoU પર હસ્તાક્ષર કર્યા હતા.

આ MoU ના પરિણામે આગામી પ વર્ષમાં ગુજરાતની IT Policy (2022-27) હેઠળ ર૦૦૦ કરતાં વધુ રોજગારીનું સર્જન થશે.

ગુજરાતીમાં વધુ વાંચો: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જાહેર થયેલી IT-ITes પોલિસી-ર૦રર-ર૭


 

Thursday, 27 October 2022

Road Resurfacing works

Road Resurfacing works, Regional Municipal Commissioners, Mukhyamantri Sadak Yojana, Swarnim Jayanti Mukhyamantri Shaheri Vikas Yojana, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, મુખ્યમંત્રી સડક યોજના

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં થયેલા અતિભારે વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં નુકશાન થયેલા માર્ગોની તાત્કાલિક મરામત માટે રૂ. ૯૭ કરોડ પ૦ લાખની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યના નગરોમાં વસતા નાગરિકોને હાલાકી ન પડે તેમજ વાહન વ્યવહાર સરળતાએ ચાલી શકે તેવા ઉદાત્ત અભિગમથી તેમણે આ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ આવી ૬ર નગરપાલિકાઓના રોડ રિસરફેસીંગ માટે સંબંધિત રિજીયોનલ મ્યુનિસિપલ કમિશ્નર હસ્તકની નગરપાલિકાઓને આ વધારાની ગ્રાન્ટ આપવાનો અભિગમ અપનાવ્યો છે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી સડક યોજના હેઠળ આ વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે.

તદઅનુસાર, અમદાવાદ પ્રદેશની ૮ નગરપાલિકાઓને ૮ કરોડ ૮૬ લાખ, વડોદરા પ્રદેશની ૧ર નગરપાલિકાઓને રૂ. ૧૦ કરોડ, સુરત પ્રદેશની ૧૦ નગરપાલિકાઓ માટે ૧૬ કરોડ ૩૦ લાખ, રાજકોટ આર.સી.એમ હસ્તકની ૧પ નગરપાલિકાઓ માટે ૪પ કરોડ ૩૯ લાખ, ભાવનગર પ્રદેશની ૧૩ નગરપાલિકાઓને ૧પ કરોડ ૧ લાખ તેમજ ગાંધીનગરની ૪ નગરપાલિકાઓને રૂ. ૧ કરોડ ૮૬ લાખની ગ્રાન્ટ ફાળવવા અનુમતિ આપી છે.

ગુજરાતીમાં વધુ વાંચો: રોડ રિસરફેસીંગ માટે ગ્રાન્ટ ફાળવવા મુખ્યમંત્રીશ્રીની મંજૂરી

 

Saturday, 22 October 2022

Kharicut Canal development works

ઇઝ ઓફ લિવિંગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, Kharicut Canal development works

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજિત રૂ.૧૦૧૧ કરોડના ખર્ચે ખારીકટ કેનાલનું નવીનીકરણ તથા વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોના ઇ-ખાતમુહૂર્ત પ્રસંગે જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારોની વચ્ચે અમદાવાદના શહેરીજનોને રૂ.૧૦૧૧ કરોડના વિકાસ કાર્યોની ભેટ મળી છે. તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં વિકાસ કામો માટે  પૈસાની તંગી નહીં પડવા દઈએ અને વિકાસના કામો સતત ચાલતા રહેશે એમ મુખ્યમંત્રીશ્રી એ વધુમાં ઉમેર્યું હતું.

શ્રી ભૂપેન્દ્ર પટેલે ખારીકટ કેનાલનું નવીનીકરણ અંગેની વાત કરતા કહ્યું કે, અમદાવાદના પૂર્વ વિસ્તારના લોકોને મોટો લાભ મળ્યો છે. રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૫૪૪ કરોડના ખર્ચે ખારીકટ કેનાલના વિકાસનું અભૂતપૂર્વ સુદ્ઢ આયોજન કરવામાં આવ્યું છે. આમ, સરકારના પ્રયાસોના પરિણામે અમદાવાદના નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં સતત વધારો થઈ રહ્યો છે એમ મુખ્ય મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું

ગુજરાતીમાં વધુ વાંચો: રાજ્ય સરકાર દ્વારા ખારીકટ કેનાલના વિકાસનું અભૂતપૂર્વ સુદ્ઢ આયોજન

 

Gujarat Judiciary project

E-Launching, Project works in Gujarat, Judiciary Infrastructure, ગુજરાત હાઇકોર્ટ ઓડિટોરિયમ, જસ્ટિસ શ્રી એમ.આર.શાહ, પર્યાવરણની જાળવણી

ગુજરાતના ન્યાયતંત્રના વિવિધ પ્રકલ્પોના ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે  જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં વિકાસનો મજબૂત પાયો નાખ્યો છે. લોકોને આજે ન્યાયપાલિકા પર વિશ્વાસ વધ્યો છે. સાથોસાથ લોકોને સરકાર પર પણ વિશ્વાસ છે અને એ જ વિશ્વાસથી સરકાર કાર્યરત છે. ન્યાયતંત્રનો પણ વિકાસમાં ખૂબ મોટો હિસ્સો છે.  ન્યાયાલયનો એક ચુકાદો લોકોનું જીવન બદલી દે છે. આટલી મોટી જવાબદારી વચ્ચે પણ અંતરનાદ સાંભળીને જ્યૂડિસરી સિસ્ટમ કામ કરી રહી છે. ત્યારે આપણે સહુ પણ એકબીજામાં પરમાત્માને જોઈએ તો સમગ્ર પરિસ્થિતિ બદલી જાય. એમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાત હાઇકોર્ટ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ  ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શ્રી એમ.આર.શાહ, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી અરવિંદ કુમાર, કાયદા મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના વિવિધ જિલ્લા, તાલુકાઓના 41 સ્થળો પરથી મહાનુભાવો આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

ગુજરાતીમાં વધુ વાંચો: ગુજરાતના ન્યાયતંત્રના વિવિધ પ્રકલ્પોના ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત

 

Friday, 21 October 2022

Vishwas Thi Vikas Yatra

State level program at Science City, Defense Expo, 5G technology, Mission School of Excellence, Prime Minister, Sukanya Samriddhi Yojana, Ayushman cards, Nal Se Jal, Vishwas Thi Vikas Yatra, વિશ્વાસથી વિકાસયાત્રા, 5જી ટેક્નોલોજી, ડિફેન્સ એક્સપો-2022

મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે 3,338 કરોડના 16,359 કામોના ઇલોકાર્પણ અને ઇ ખાતમુહૂર્ત સંપન્ન

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ના રાજ્યવ્યાપી કાર્યક્રમનો અમદાવાદના સાયન્સસિટી ખાતેથી પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, ગુજરાત આજે દેશમાં વિકાસની દ્રષ્ટિએ અગ્રેસર રાજ્ય પુરવાર થયું છે. આજે વિકાસ એટલે ગુજરાત અને ગુજરાત એટલે વિકાસ એવી ઓળખ પ્રસ્થાપિત થઈ છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસનો પાયો નાખ્યો છે. વિકાસના આ મજબૂત પાયાને પગલે ગુજરાત આજે દેશમાં આગવી ઉંચાઈ પ્રાપ્ત કરી શક્યું છે એમ તેમને ઉમેર્યું હતું.

વિશ્વાસથી વિકાસ યાત્રાના બીજા ચરણના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રીએ આજે 3,338 કરોડના 16,359 કામોના ઇલોકાર્પણ અને ઇ ખાતમુહૂર્ત કર્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યના તમામ જિલ્લાઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

ગુજરાતીમાં વધુ વાંચો: વિશ્વાસથી વિકાસયાત્રા- રાજ્ય કક્ષાનો સમારંભ

 

Wednesday, 19 October 2022

The biggest DefExpo-2022

Defence Expo-2022, Defense Minister Shri Rajnath Singh, Mahatma Mandir in Gandhinagar, DefExpo2022, ડિફેન્સ એક્સપો-2022, સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ડિફેન્સ એક્સપો-2022 નો રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિધિવત શુભારંભ કરાવ્યો હતો. મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં ભારતીય સેનાની ત્રણેય પાંખોના વડાઓ અને વિવિધ દેશોના પ્રતિનિધિઓ તથા સંરક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉત્પાદકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિફેન્સ એક્સપોને નૂતન ભારતની ભવ્ય તસવીર ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, ભારતની માટીમાં, ભારતીય લોકોના પરસેવાથી સિંચાયેલા ઉત્પાદનો, કંપનીઓ, વૈજ્ઞાનિકો અને યુવાઓનું સામર્થ્ય લોહપુરુષ સરદાર પટેલની આ ધરતી પરથી સમગ્ર દુનિયાને ભારતના સામર્થ્યનો પરિચય કરાવી રહ્યા છે.

તેમણે ડિફેન્સ એક્સપોમાં ભાગ લેવા ગુજરાત પધારેલી તમામ કંપનીઓને આહવાન કરતાં કહ્યું હતું કે, સશક્ત અને વિકસિત ભારતના આપણા સપનાને સાકાર કરો, હું તમારી સાથે છું.  આપની ઉજ્જવળ આવતીકાલ માટે હું મારી આજ આપને અર્પણ કરવા માટે તત્પર છું.

ગુજરાતીમાં વધુ વાંચો: ડિફેન્સ એક્સપો-2022માં 1300થી વધારે ભારતીય પ્રદર્શકો અને 100થી વધારે સ્ટાર્ટઅપ્સ

 

Friday, 14 October 2022

13th edition of Garib Kalyan Mela

37 Garib Kalyan Mela, 13th edition of Garib Kalyan Mela, Har Hath Ko Kaam, Har Kaam Ka Samman, Vibrant Gujarat series, ગરીબ કલ્યાણ મેળા, ડબલ એન્જીન સરકાર

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગરીબોના સશક્તિકરણ માટેના ગરીબ કલ્યાણ મેળાની ૧૩મી કડીનો આદિજાતિ વિસ્તાર ગોધરાથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે કહ્યું કે, ગરીબો, વંચિતોને સરકારી યોજનાઓના લાભ હાથોહાથ પહોંચાડી તેમને આત્મનિર્ભર બનાવવા સરકાર તેમની પડખે ઊભી છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રીનો પદભાર સંભાળતાં જ તેમના પ્રથમ પ્રવચનમાં કહ્યું હતું કે સરકાર ગરીબ, વંચિત, પીડિત, શોષિત, અંત્યોદય ઉત્થાનને અગ્રતા આપશે. આ વાતને ગરીબ કલ્યાણ મેળાએ સુપેરે ચરિતાર્થ કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ આદિજાતિ જિલ્લા પંચમહાલ-ગોધરાથી આ ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવતાં એકજ દિવસમાં ૩પ,પ૮૩ ઉપરાંત લાભાર્થીઓને ર૮૧ કરોડ રૂપિયાની વિવિધ સહાયનું વિતરણ કર્યુ હતું.

રાજ્યના અન્ય જિલ્લા મથકોએ રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, પદાધિકારીઓએ ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. ૧૩મી કડીના આ ગરીબ કલ્યાણ મેળાઓ તા.૧૪ અને ૧પ બે દિવસ માટે ૩૩ જિલ્લા અને ૪ મહાનગરો મળી ૩૭ સ્થળોએ યોજાવાના છે.

ગુજરાતીમાં વધુ વાંચો: ગરીબ કલ્યાણ મેળાની ૧૩મી કડીનો ગોધરાથી રાજ્યવ્યાપી પ્રારંભ

 

Thursday, 13 October 2022

Gujarat on Top in LEADS-2022

Atmanirbhar Gujarat to Atmanirbhar Bharat, Index-LEADS-2022, Ministry of Commerce and Industry, Government of India, Logistics Ease across Different Status-2022, ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર

દેશમાં વિકાસના રોલ મોડેલ રહેલા ગુજરાતની ગૌરવગાથામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વધુ એક સિદ્ધિનું સિમાચિન્હ ઉમેરાયું છે.

ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ગુરુવારે પ્રસિદ્ધ કરેલા લોજિસ્ટીકસ ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટસ ઇન્ડેક્ષ-LEADS-૨૦૨૨માં ગુજરાતે ટોપ પર્ફોર્મર સ્ટેટની અચિવર્સ કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે

દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજીત પી.એમ.ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન અંગેના વર્કશોપ દરમ્યાન કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલ દ્વારા જાહેર કરાયેલા LEADS રિપોર્ટ મુજબ ગુજરાતે માલ-સામાનની સરળતાએ હેરફેરની કાર્યદક્ષતામાં સતત ચોથીવાર અગ્રિમ રાજ્યની શ્રેણીમાં સ્થાન જાળવી રાખ્યું છે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની દિશાના આ વધુ એક સફળ કદમ માટે સંબંધિત વિભાગોને અભિનંદન પાઠવ્યા છે.

ગુજરાતીમાં વધુ વાંચો: LEADS-૨૦૨૨ ઇન્ડેક્ષમાં ગુજરાતનું ટોપ પર્ફોર્મર સ્ટેટની અચિવર્સ કેટેગરીમાં સ્થાન

 

Mining Rules amended

Gujarat Minor Mineral Concession (Amendment) Rules-2022, Mining Rules amended

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ખાણ ખનિજ ક્ષેત્રે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને પ્રોત્સાહિત કરતો મહત્વપૂર્ણ અભિગમ અપનાવ્યો છે.

આ સંદર્ભમાં તેમણે ગુજરાત ગૌણ ખનિજ છૂટછાટ (સુધારા) નિયમો-ર૦રરમાં જાહેરહિત અને વહીવટી સરળીકરણના ધ્યેય સાથે ખાણકામ નિયમોમાં સુધારા જાહેર કર્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ જે મહત્વપૂર્ણ સુધારા કર્યા છે તે મુજબ રાજ્યમાં હવેથી ખાનગી જમીન માલિકોને ૪ હેક્ટર સુધીના વિસ્તાર તમામ ગૌણ ખનિજો માટે જાહેર હરાજી વગર અરજી આધારિત નિયમાનુસારના પ્રીમીયમથી લીઝની ફાળવણી કરવામાં આવશે.

એટલું જ નહિ, જે-તે વિસ્તારમાં મળેલી મંજૂરી, એન.ઓ.સી, એન્વાયરમેન્ટ કલીયરન્સ, ફોરેસ્ટ કલીયરન્સ તેમજ મહેસૂલી અભિપ્રાય વગેરેને નવી મંજૂરી સમયે માન્ય ગણવામાં આવશે. એટલે કે આવી મંજૂરીઓ બીજીવાર લેવાની જરૂરિયાત રહેશે નહિ.

ગુજરાતીમાં વધુ વાંચો: ખાણ ખનિજ ક્ષેત્રે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને વેગ આપતો અભિગમ

 

Sunday, 9 October 2022

Modhera Surya Gram

Surya Gram, Modhera Sun Temple, મોઢેરા સૂર્ય ગ્રામ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ  મહેસાણા ખાતેથી ભારતના સૌ પ્રથમ સતત સૌર ઊર્જાથી સંચાલિત મોઢેરા ‘સૂર્ય ગ્રામ’ રાષ્ટ્રને સમર્પણ કરતા જણાવ્યું કે , આ સૂર્ય ગામના સમર્પણ સાથે જ સમગ્ર ઉત્તર ગુજરાત વિકાસની નવી ઉર્જાનું કેન્દ્ર બન્યું છે. ભગવાન સૂર્યના ધામ મોઢેરામાં શરદ પૂર્ણિમા અને મહર્ષિ વાલ્મિકીની પૂર્ણ્યતિથીનો ત્રિ-વેણી સંગમ રચાયો છે. સૂર્યની જેમ વિકાસનો પ્રકાશ દેશભરમાં સર્વત્ર ફેલાય તે માટે સરકાર કટીબદ્ધ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાનશ્રીએ વધુમાં કહ્યું કે, આસ્થા અને ટેક્નોલોજીનો સમન્વય થતા અનેક લોકોના સપના સાકાર થઇ રહ્યા છે. સાથે-સાથે સ્માર્ટ ગુજરાત – ભારતનો સંકલ્પ સાકાર થઇ રહ્યું છે. મોઢેરા ‘સૂર્યગ્રામ’ જાહેર થતા મોઢેરા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત માટે આ અનેરો અવસર આવ્યો છે. સૂર્ય મંદિર માટે  ઓળખાતું ગામ હવે ‘સૂર્ય ગ્રામ’ તરીકે પ્રખ્યાત બન્યું છે

ગુજરાતીમાં વધુ વાંચો: ભારતનું સૌ પ્રથમ સતત સૌર ઊર્જાથી સંચાલિત મોઢેરા સૂર્ય ગ્રામ

Wednesday, 5 October 2022

AatmaNirbhar Gujarat Schemes 2022

The Aatmanirbhar Gujarat Schemes 2022, assistance to Industries, Aatmanirbhar Bharat by 2047

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશની આઝાદીના ૭પ વર્ષ પૂર્ણ થવા અવસરે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ભારતનું આહવાન કર્યુ છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે આ આહવાન ઝિલી લઇને આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા એક મહત્વપૂર્ણ યોજના-સ્કીમ જાહેર કરી છે.

ઉદ્યોગોને આત્મનિર્ભરતા માટે સહાયની આ ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતીમાં જાહેર કરી હતી.

વડાપ્રધાનશ્રીએ આગામી ર૦૪૭માં દેશ આઝાદીની શતાબ્દી મનાવે ત્યાં સુધીમાં આત્મનિર્ભર ભારતનો કોલ સાકાર કરવાનું વિઝન આપ્યું છે.

ગુજરાતીમાં વધુ વાંચો: ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ જાહેર

Sunday, 2 October 2022

Special Encouragement Assistance

Special Market Encouragement Assistance, Khadi for Fashion, Khadi for Nation, Khadi Utsav

Gujarat Chief Minister Shri Bhupendra Patel has taken a generous approach to increase the sale of Khadi in the state by deciding to provide economic support to the rural artisans of the hinterland areas involved in Khadi weaving of Khadi production.

Chief Minister has decided to provide 30 percent special market encouragement assistance on the production cost of Khadi and Poly garments from Gandhi Jayanti i.e. 2nd October 2022 to 31st December 2022. Chief Minister has announced to give 10% more special market encouragement assistance this year as the nation is celebrating Azadi ka Amrit Mahotsav under the inspiration of Prime Minister Shri Narendra Modi.

Read the whole news in English: Financial support to the rural artisans 

Friday, 30 September 2022

New Vande Bharat Express Train


વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે કેપિટલ રેલ્વે સ્ટેશન,ગાંધીનગરથી ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનને લીલીઝંડી આપી શુભારંભ કરાવ્યો હતો.આ નવીન ટ્રેન કેપીટલ રેલવે સ્ટેશન, ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડશે.

વડાપ્રધાન શ્રી મોદીએ આ પ્રસંગે રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું તલસ્પર્શી નિરીક્ષણ કરીને ગાંધીનગરથી અમદાવાદ સુધી ટ્રેનની સફર માણી હતી.

ટ્રેન શુભારંભ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ , રેલવે રાજ્ય મંત્રી શ્રી દર્શનાબેન જરદોશ  સહિત મહાનુભાવોએ ઉપસ્થિતિ રહીને અમદાવાદ સુધી ટ્રેનની સફર માણી હતી.

ગુજરાતીમાં વધુ વાંચો: વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી 

Wednesday, 28 September 2022

First Sports Conclave-2022


Gujarat Chief Minister Shri Bhupendra Patel addressing the ‘First Sports Conclave-2022’ said that, participation in sports is the most important thing, losing and winning are the next. To increase the passion of the players, he gave the mantra of victory to the players to not lose courage. He further said that Prime Minister Shri Narendrabhai Modi has done great work in the field of sports in Gujarat by laying the foundation of Khel Mahakumbh. Today the players of Gujarat are making Gujarat proud.

A Sports Conclave was organized at the Sanskardham complex at Godhavi, Ahmedabad before the opening ceremony of the National Games with the motto “Judega India, Jeetega India”.The Chief Minister, who was presiding over the program, further added that with the political will and teamwork of the Gujarat government, the organization of the National Games has been realized in the shortest possible time.

First Sports Conclave-2022: 36th National Games opening ceremony

Tuesday, 27 September 2022

Vibrant Navratri Mahotsav–2022


અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ – 2022 ખુલ્લો મૂક્યો હતો. નવ દિવસ સુધી શહેરના GMDC ગ્રાઉન્ડ ખાતે  ગરબા મહોત્સવ યોજાશે. આ ઉપરાંત, આ નવરાત્રિ મહોત્સવમાં ગરબા સિવાય પણ શહેરીજનો માટે અન્ય ઘણા આકર્ષણો ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા ઊભા કરવામાં આવ્યા છે, જેમાં અલગ અલગ થીમ પેવેલિયન, અટલ બ્રીજની પ્રતિકૃતિ, ફૂડ કોર્ટ વગેરેનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વિશ્વના સૌથી વધુ દિવસ ચાલતા લોકઉત્સવ નવરાત્રી પર્વની સૌને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, માં આદ્ય શક્તિની ઉપાસના અને ભક્તિમાં લીન બનીને ગરબે ઘુમવાના દિવસો શરૂ થયા છે. કોરોનાના કારણે 2 વર્ષ પછી ગરબાના રસિયાઓને ગરબે ઘૂમવા મળવાનું છે એટલે સૌના ચેહરા પર આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગરબો ગુજરાતની વિશિષ્ટ સંસ્કૃતિની ઓળખ છે.

વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2022: નવ દિવસ સુધી શહેરના GMDC ગ્રાઉન્ડ ખાતે  ગરબા મહોત્સવ

Monday, 26 September 2022

Employment opportunities to Youth

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રિના પ્રથમ નોરતે રાજ્યના ૧.૪૯ લાખ યુવકોને રોજગાર નિમણુંક પત્રો અને એપ્રેન્ટિસશીપ કરાર પત્રો અર્પણ કર્યા હતા.

રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર એક સાથે ૧.૪૯ લાખ યુવાઓને રોજગાર અવસર આપવાની આ ઐતિહાસિક ગૌરવ ઘટના છે એમ તેમણે ઉમેર્યુ હતું.

શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં પ્રતિકરૂપે ૧૭ જેટલા યુવાઓને પત્રો આપ્યા હતા. સમગ્ર રાજ્યના ૩૩ જિલ્લા અને ૭ મહાનગરપાલિકાઓમાં આયોજિત રોજગાર પત્ર વિતરણ કાર્યક્રમમાં રાજ્યના મંત્રીશ્રીઓ, પદાધિકારીઓ સહભાગી થયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં રોપેલા વિકાસના મજબૂત પાયાના પરિણામે જ આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે.

યુવાનોની પ્રતિભા થકી દેશનો વિકાસ કરવા ટેલેન્ટ પૂલ અતિમહત્વનું છે તેના માટે રાજ્ય સરકાર અને ખાનગી સંસ્થાઓના સહયોગથી રાજ્યમાં કાર્યરત ૬૦૦ જેટલી આઇ.ટી.આઇ.માં ૨.૧૭ લાખ વિદ્યાર્થીઓને ૧૨૫ જેટલા કોર્સના અભ્યાસથી સ્કીલ્ડ વર્કફોર્સ બનાવવામાં આવી રહ્યા છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

ગુજરાતીમાં વધુ વાંચો: મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યુવાનોને રોજગાર નિમણૂંક પત્રો અને એપ્રેન્ટિસશિપ કરારપત્રો એનાયત

 

Monday, 19 September 2022

Panchamrit Yuva Jagruti Pakhvadiya

Chief Minister Shri Bhupendra Patel while starting the Panchamrit Yuva Jagruti Pakhvadiya on Climate Change from Gandhinagar stated that, it is need of an hour for Yuva Shakti (youth) to be the leader in spreading public awareness to prevent the effects of climate change.

He further said that Prime Minister Shri Narendra Modi is such a visionary leader that he understands the problems and he finds proactive solutions for solving such problems before they arise in the society. Considering and recognizing the effects of Climate change, Shri Narendra Modi adopted the successful dimension of creating a dedicated Department of Climate Change in Gujarat years ago.

Panchamrit Yuva Jagruti Pakhvadiya: Department of Climate Change in Gujarat, Subsidy for Solar Rooftop

 

Wednesday, 14 September 2022

Vishwas thi Vikas Yatra

While addressing the state level celebration of ‘Vishwas thi Vikas Yatra’ at Mahatma Mandir in Gandhinagar in the virtual presence of Union Home and Cooperation Minister Shri Amit Shah, Chief Minister Shri Bhupendra Patel emphasized that the 20 years of development of Gujarat and the uninterrupted faith of Gujaratis on the government for 20 years is purely due to the leadership of Prime Minister Shri Narendra Modi. As a result of the strong foundation of development laid under the guidance of the Prime Minister, Gujarat has become a role model for development.

Union Home Minister Shri Amit Shah took part from Delhi and virtually laid foundation stone of and inaugurated a total of 519 public welfare development works worth Rs. 1179 crores. So, inauguration of 209 developmental projects worth Rs. 394 crores and ground breaking of 310 developmental projects worth Rs. 785 crores of panchayats, general administration, village development, ports and transport, energy and petrochemicals, water resources, education, social justice and governance, water supply, urban development and housing and road and building department was done.

Read the whole news in English: Vishwas thi Vikas Yatra, Double Engine Sarkaar Gujarat

 

Tuesday, 13 September 2022

MoU with Vedanta-Foxconn Group

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના કોલને સાકાર કરતાં ગુજરાતમાં સેમીકન્ડક્ટર અને ડિસ્પ્લે નિર્માણ માટે રૂપિયા ૧ લાખ ૫૪ હજાર કરોડના મૂડીરોકાણ માટેના એમ.ઓ.યુ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રિય સાયન્સ ટેક્નોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં સંપન્ન થયા હતા.

ભારતના કોઈ એક રાજ્યમાં કરવામાં આવેલું અત્યાર સુધીનું આ સૌથી મોટું મૂડીરોકાણ આ એમ.ઓ.યુ. અંતર્ગત ફોક્સકોન અને વેદાંતા ગ્રુપ દ્વારા ગુજરાતમાં કરવામાં આવશે.

ગુજરાત સરકારે તાજેતરમાં ઘડેલી સેમીકન્ડક્ટર પોલિસીને પરિણામે સેમીકન્ડક્ટર અને ડિસ્પ્લે નિર્માણ ક્ષેત્રની અગ્રણી કંપનીઓ ગુજરાત તરફ આકર્ષાઈ છે. આ એમ.ઓ.યુ.થી આગામી દિવસોમાં રાજ્યના ૧ લાખ જેટલા યુવાઓને રોજગારી મળવાની દિશા ખૂલી છે.

સેમિકન્ડક્ટર પોલિસી: વેદાંતા-ફોક્સકોન ગ્રુપ વચ્ચે સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે થયેલાં MOU