Monday, 2 May 2022

Ahmedabad Metropolis Development works

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નગરજનોને રૂ. ૧૪૩ કરોડના વિવિધ વિકાસકામોની પરશુરામ જયંતિએ ભેટ આપતાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, નગરો – મહાનગરોનો આધુનિક વિકાસ કેવો હોય તે સૌને ગુજરાતના નગરોએ બતાવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, અગાઉ નગરો – મહાનગરો શહેર સુધરાઈ તરીકે ઓળખાતા હતા. શહેરી સુવિધા એટલે નળ, ગટર અને રસ્તા એવી જ વ્યાખ્યા હતી.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આવી શહેર સુધરાઈને નગર સેવા સદન તરીકે નગર સુખાકારી અને જનહિત કાર્યોની અનેક સેવા પ્રવૃત્તિથી ધમધમતા કેન્દ્રો બનાવ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીથી પેવર બ્લોક, રસ્તા સહિતના કામો પણ હવે થાય છે.

ગુજરાતીમાં વધુ વાંચો: અમદાવાદ મહાનગરને વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી શ્રી

Related Posts:

  • Assistance of e-Payment under CM Bal Seva Yojana મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો પ્રારંભ કરાવતાં કહ્યું કે, કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગૂમાવી નિરાધાર બનેલા બાળકોનો આધાર આ સરકાર બની છે. બાળકનો ભવિષ્યનો વિચાર કરીને રાજ્ય સરકાર મુખ્યમંત્રી બા… Read More
  • Innovative Website and Mobile App of Science City મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત સાયન્સ સિટીની વિવિધ માહિતી અને મૂલાકાત માટેનું ઓનલાઇન બુકીંગ આંગળીના ટેરવે ઓન ફિંગર ટિપ્સ સહજ બનાવતી વેબસાઇટ અને મોબાઇલ એપના ગાંધીનગરમાં લોન્ચિંગ કર્યા હતા.સાયન્સ સિટીની આ નવિન વેબસાઇટ… Read More
  • CM inaugurates First Amazon Digital Center at Suratમુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સુરત ખાતે ગુજરાતના નવનિર્મિત પ્રથમ એમેઝોન ડિજીટલ સેન્ટરનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી જણાવ્યું કે, સુરતમાં 41,000 કરતા… Read More
  • Financial assistance to women selected in Tokyo Olympicsગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદના ૬૦ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રાજ્યના ૬ ખેલાડીઓ આગામી ઓલિમ્પીક રમતોમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવાના છે. તા.ર૩મી જુલાઇથી ટોકિયો ખાતે યોજાનારી ઓલિમ્પીક ગેઇમ્સ ર૦ર૧માં ગુજરાતની એકસાથે ૬ નાર… Read More
  • Gujarat CM announced financial assistance of Rs.4,000 per month under Bal Seva Yojnaમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોનાથી માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર બનેલા બાળકો સાથે મોકળા મને સંવાદ કરતાં કહ્યુ કે, કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી નિરાધાર બનેલા બાળકોનો આધાર આ સરકાર છે. મુખ્યમંત્રી શ્રી વિજય… Read More

0 comments:

Post a Comment