Sunday, 1 March 2020

Chief Minister Laid Stone of Rajkot District Court New Building in Presence of SC, HC Judges


મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાષ્ટ્રના વિકાસ માટે ન્યાયતંત્રની ભૂમિકા અતિ મહત્વની છે. આ માટે ગુજરાતમાં rule of law પ્રત્યે આદર વધે અને લોકોને ઝડપી ન્યાય થકી રામરાજ્યની કલ્પના સાકાર થાય તે માટે સરકાર કટિબદ્ધ છે. મુખ્યમંત્રીશ્રીએ આજે રાજકોટ ખાતે અંદાજિત રૂપિયા ૧૧૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર જિલ્લા ન્યાયાલયના આધુનિક ભવનનું ભૂમિપૂજન કર્યું હતું. તેમની સાથે સુપ્રીમકોર્ટના ન્યાયાધીશશ્રી એમ.આર.શાહ તેમજ હાઇકોર્ટ મુખ્ય ન્યાયધીશશ્રી વિક્રમ નાથ જોડાયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ન્યાયમંદિરો સમયની સાથે આધુનિક બને અને તેમાં ન્યાય મેળવવા આવતા લોકોને વધુ સારી સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકારે સમયોચિત ફેરફારો કરી સમગ્ર રાજ્યમાં ન્યાયાલયોના આધુનિક ભવનોનું નિર્માણ કાર્ય આરંભ્યું છે.

Related Posts:

  • Free Bamboo distribution to Vanbandhu of the tribal area રાજપીપલા,ગુરૂવાર:- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૧૪ જિલ્લાના આદિજાતિ બાંધવોને વાંસ આધારિત રોજગારી આપી આત્મનિર્ભર બનાવવાની નવતર પહેલના ભાગરૂપે, અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિજાતિ બેલ્ટના વનબંધુઓને રૂ. ર૦ કરોડના ૪… Read More
  • Appointment letters to Anganwadi Workers મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ભારપૂર્વક જણાવ્યું છે કે, રાજ્યની મહિલાઓ અને બાળકોના વિકાસ માટે સમાજ અને સરકારની વિશેષ જવાબદારી છે. મહિલાઓના સર્વાંગી વિકાસ માટે એક હજાર દિવસની કાળજી, માં-બાળક આજીવન રાજી એ ધ્યેયને સાકાર કર… Read More
  • Nomadic Caste Accommodations and Hostel at Kakarમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કાકર ખાતે વિચરતી જાતિની વસાહત અને છાત્રાલયનું લોકાર્પણ કર્યુ હતું. એક જગ્યાએથી બીજી જગ્યાએ ખુલ્લા આકાશ નીચે જીવન જીવતા ઘરવિહોણા વિચરતી જાતિના પરિવારોને કાકર… Read More
  • CM launches Krushi Vaividhyakaran Scheme 2022 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી બેલ્ટમાં વસતા આદિજાતિ ખેડૂતોની ખેત આવકમાં વધારો કરી ખેતી વૈવિધ્યપૂર્ણ અને સસ્ટેઇનેબલ બનાવવાની નેમ વ્યક્ત કરી છે.મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના આ ૧૪ જિલ્લાઓના … Read More
  • Water Supply Works approval for 3 towns and 1 Municipal Corporationમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં નાગરિકોને પીવાનું પાણી પુરતા પ્રમાણમાં મળી રહે તેવી પ્રતિબદ્ધતા સાથે ભાવનગર મહાનગરપાલિકા તથા અમરેલી અને માળિયા-મિયાણા નગરપાલિકાઓ માટે કુલ રપ.૭૯ કરોડ રૂપિયાના પાણી પુરવઠ… Read More

0 comments:

Post a Comment