Sunday, 4 September 2022

Best Teacher Award Distribution

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષક દિન અવસરે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા ૪૪ ગુરૂવર્યોનું સન્માન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે સૌ સમસ્યાનું સમાધાન શિક્ષણ જ છે. રાજ્ય અને સમાજના સર્વગ્રાહી વિકાસ માટે શિક્ષણ આવશ્યક પરિબળ છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ અને વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતીમાં શિક્ષક દિનના અવસરે આયોજીત કર્યો હતો.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય પારિતોષિક વિજેતા ૪૪ શિક્ષકોને શોલ, પ્રશસ્તિ પત્ર તથા પુરસ્કાર રાશિથી સન્માનિત કર્યા હતા. તેમણે ૬ વિદ્યાર્થીઓનું પણ તેમની શ્રેષ્ઠતા માટે શિક્ષણ મંત્રી શ્રી જિતુભાઇ વાઘાણી અને રાજ્યમંત્રી શ્રી કિર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં સન્માન કર્યુ હતું.

રાજ્ય પારિતોષિક વિજેતા ૪૪ શિક્ષકોને પુરસ્કાર રાશિથી સમ્માન: શિક્ષક દિવસ ઉજવણી 2022

 

Related Posts:

  • Cm’s Important Decision For 3.36 Crore Poor Antyoday Population મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના અંત્યોદય પરિવારોને અનાજ મેળવવામાં કોઇ તકલીફ ન પડે અને કોઇને ભૂખ્યા રહેવું ના પડે તેવા અંત્યોદય કલ્યાણ ભાવથી કોરોના વાયરસને પરિણામે સર્જાયેલી લોકડાઉનની સ્થિતિમાં એપ્રિલ અને મે મહિન… Read More
  • Under cm’s guidance gujarat’s msme units get rs. 2428-cr bank loans in just 15-day time મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોવિડ-19 કોરોના વાયરસની સ્થિતી પછી ઉદભવનારી સ્થિતીમાં MSME એકમોને પૂન: ચેતનવંતા કરવાના કરેલા બહુવિધ આયોજનની ફલશ્રુતિ રૂપે રાજ્યના ૮૭૮૩૪ MSME એકમોએ વિવિધ રાષ્ટ્રિયકૃત બેન્કસને લોન-સહાય માટ… Read More
  • Gujarat Cm Vijay Rupani Approves 7 Tp Schemes For Ahmedabad, Incuding 6 Draft And 1 Preliminary, As Part Of Atmanirbhar Bharat મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના કોવિડ-૧૯ના સંક્રમણ સાથે અને સંક્રમણ સામે જીવન પૂર્વવત બનાવવા અને દેશને આત્મનિર્ભરતાના માર્ગે લઇ જવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘આત્મનિર્ભર’ ભારતના આપેલા કોલને સ… Read More
  • Cm Launches Digital Course Material For More Than 1 Lakh I.T.I Students મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના કોવિડ-19 વાયરસ સંક્રમણને પગલે શૈક્ષણિક કાર્ય બંધ છે ત્યારે રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITI માં વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવતા ૧ લાખથી વધુ વિદ્યાર્થીઓને ઘરે બેઠા ઓનલાઇન શિક… Read More
  • For The Third Year In A Row Sujalam Sufalam Jal Abhiyan’s Fiery Success Under The Guidance Of The Chief Minister મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં સુજલામ સુફલામ જળ અભિયાનની ત્રીજી કડીમાં મળેલી સફળતાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં જળસંગ્રહ સ્… Read More

0 comments:

Post a Comment